જેતપુર,
જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી પંથકની જીવાદોરી સમાન ભાદરનદી આ વર્ષે જીવલેણ બની હોય તેવું લાગી રહ્યું છે. જેતપુર તાલુકાના લુણાગરી ગામના વધુ એક યુવાનનું ભાદરનદીના પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકાના લુણાગરી ગામે રહેતા ગઢવી યુવાન પાર્થ નારણભાઇ ગઢવી (ઉ.વ.૧૭) આજે સવારે રાબેતા મુજબ ઢોર ચરાવવા સીમમાં ગયો હતો.
પરંતુ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી ત્યારે ભાદરનદીના કિનારે કપડાં મળી આવતા ગ્રામજનોએ નદીમાં શોધખોળ આદરી હતી, ત્યારે મોડી રાત્રે મૃતક યુવાનનો મૃતદેહ મળી આવતા મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અહેવાલ : અમૃત સિંગલ, જેતપુર